ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ( Indian Institute of Teacher Education (IITE), a Special University For Teacher Education) શ્રેષ્ઠ અને આદર્શ શિક્ષકોની પીઢીના નિર્માણ માટે તત્પરતાથી કાર્યરત છે. તેમાં અધ્યયન કરતાં ભાવિ શિક્ષકો આપણી વાસ્તવિક અને પ્રાચીન ધરોહરને જાણી શકે, તે વિષે ગહન ચિંતન કરી ગૌરવની અનુભૂતિ કરી શકે તથા તેના વ્યાપ વિશે વિચારી શકે તે હેતુથી શ્રી ગોપાલ ભાઈ ઉપાધ્યાય અને અર્ચના બેન દ્વારા એમના અંદાજે 70 વિદ્યાર્થીગણ ની સાથે ગોતીર્થ વિદ્યાપીઠ માં શૈક્ષણિક પ્રવાસ નુ આયોજન કરવામાં આવ્યું.
ગોતીર્થ વિદ્યાપીઠ ના સંચાલક શ્રી કલ્પેશ ભાઈ જોશી અને શર્વરી બેન દ્વારા ઉપરોક્ત સંસ્થા માંથી આવેલ ભાવિ શિક્ષકો ને માર્ગદર્શન આપવામાં આવ્યું.



